J&K: પુલવામામાં આતંકી અથડામણ, 2 આતંકીઓનો ખાત્મો, હજુ છૂપાયેલા હોઈ શકે છે આતંકીઓ

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. મળતી માહિતી મુજબ હજુ પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. જેમની શોધમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 
J&K: પુલવામામાં આતંકી અથડામણ, 2 આતંકીઓનો ખાત્મો, હજુ છૂપાયેલા હોઈ શકે છે આતંકીઓ

પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા. આ અથડામણ પુલવામાના તિકેન વિસ્તારમાં થઈ. મળતી માહિતી મુજબ હજુ પણ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. જેમની શોધમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. 

જમ્મુ અને કાશ્મીર પોલીસના અધિકારીએ કહ્યું કે પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ માર્યા ગયા. આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. સુરક્ષા દળોનું ઓપરેશન હજુ ચાલુ છે. 

અત્રે જણાવવાનું કે બુધવારે વહેલી સવારે પુલવામાના તિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળો જ્યારે વિસ્તારમાં આતંકીઓની શોધ કરી  રહ્યા હતા ત્યારે જ આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી. બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. 

જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સીઆરપીએફની જોઈન્ટ ટીમ આ ઓપરેશન કરી રહી છે. એક ગુપ્ત બાતમી મળ્યા બાદ આતંકીઓની શોધ માટે સર્ચ અભિયાન શરૂ કરાયું હતું. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરના નગરોટામાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news